તિરુવલ્લુરના કોંગ્રેસના લોકસભા સાંસદ, શશિકાંત સેન્થિલને રવિવારે ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એક દિવસ પહેલા તેમને અનિશ્ચિત ભૂખ હડતાળ દરમિયાન હાઈ બ્લડ પ્રેશરને કારણે તિરુવલ્લુર સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૪૬ વર્ષીય નેતાએ શુક્રવારે વિરોધ શરૂ કર્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તમિલનાડુને સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ના ભંડોળમાં ?૨,૦૦૦ કરોડથી વધુ રકમ રોકી રહી છે.
સેન્થિલે કહ્યું કે તમિલનાડુના SSA ભંડોળને લઈને તેમની ભૂખ હડતાળના બીજા દિવસે તેમને હાઈ બ્લડ પ્રેશર સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ખાતરી આપી હતી કે તેમને યોગ્ય સંભાળ મળી રહી છે અને તેઓ સ્થિર છે.
“મારી ભૂખ હડતાળના ત્રીજા દિવસે, મને હાઈ બ્લડ પ્રેશરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની સલાહ પર, મને હવે તિરુવલ્લુર સરકારી હોસ્પિટલમાંથી રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં, ચેન્નાઈમાં ખસેડવામાં આવ્યો છે. અહીંથી પણ, હું અમારા યોગ્ય SSA ભંડોળ મુક્ત ન થાય ત્યાં સુધી એ જ દૃઢતા સાથે મારી ભૂખ હડતાળ ચાલુ રાખું છું,” સેન્થિલે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
૨૦૨૪-૨૫ શૈક્ષણિક વર્ષ માટે, કેન્દ્રએ તમિલનાડુને સમગ્ર શિક્ષા ભંડોળમાં ?૨,૧૫૨ કરોડ આપ્યા નથી, જેના કારણે સેન્થિલ તિરુવલ્લુરમાં તેમના પક્ષ કાર્યાલયમાં ભૂખ હડતાળ પર ઉતર્યા છે, એમ મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર શિક્ષા અભિયાન (SSA) યોજના હેઠળ ?૨,૧૫૨ કરોડ રોકવાના કેન્દ્ર સરકારના ર્નિણયથી તમિલનાડુમાં ૪૩ લાખ વિદ્યાર્થીઓ અને ૨.૨ લાખ શિક્ષકોનું ભવિષ્ય ગંભીર અનિશ્ચિતતામાં મુકાયું છે.
“ઊંડા દુ:ખ અને વધુ દૃઢ નિશ્ચય સાથે હું ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના સમગ્ર શિક્ષા અભિયાન (SSA) યોજના હેઠળ ?૨,૧૫૨ કરોડ રોકવાના ર્નિણય સામે મારી ભૂખ હડતાળની શરૂઆતની જાહેરાત કરું છું, જેના કારણે તમિલનાડુમાં ૪૩ લાખ વિદ્યાર્થીઓ અને ૨.૨ લાખ શિક્ષકોનું ભવિષ્ય ગંભીર અનિશ્ચિતતામાં મુકાયું છે,” સેન્થિલે શુક્રવારે એક પોસ્ટમાં કહ્યું હતું.
સેન્થિલે કહ્યું કે તેમણે જુલાઈમાં શૂન્યકાળ દરમિયાન અને નિયમ ૩૭૭ હેઠળ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ઉપરાંત ૧૯ ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખીને ભંડોળ મુક્ત કરવાની વિનંતી કરી હતી.
મે મહિનામાં, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર રાજ્યના શિક્ષણ ભંડોળને “નાની રાજનીતિ” ગણાવીને રોકવાનો આરોપ લગાવ્યો હતો.