National

દિલ્હીના એલજી વિકે સક્સેનાએ આમ આદમી પાર્ટીના ૧૫ ધારાસભ્યોને ૧૫ કરોડની ઓફરની તપાસના આદેશ આપ્યા

એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમ કેજરીવાલ, મુકેશ અહલાવત અને સંજય સિંહના ઘરે જવા રવાના

વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલાજ રાજધાની દિલ્હીના રાજકારણમાં ભારે હલચલ; દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ૧૫ કરોડ રૂપિયાની ઓફર આપવાના કેસમાં દિલ્હીના એલજી વિકે સક્સેનાએ છઝ્રમ્ તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, છઝ્રમ્ ની એક ટીમ અરવિંદ કેજરીવાલ અને મુકેશ અહલાવતના ઘર તરફ જવા રવાના થઈ ગઈ છે.

વિકે સક્સેનાએ કહ્યું કે, આ મામલે સત્ય બહાર લાવવા માટે છઝ્રમ્ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થવી જાેઈએ. તમને જણાવી દઈએ કે, દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે એલજી વિકે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્યોને ૧૫ કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપો પર છઝ્રમ્ અને અન્ય કોઈપણ તપાસ એજન્સીને કેસ નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું હતું.

દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા છછઁના ૭ વર્તમાન ધારાસભ્યોને ૧૫ કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપોની તપાસ કરવા અને હ્લૈંઇ નોંધવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને અન્ય કોઈપણ તપાસ એજન્સીને નિર્દેશ આપવા વિનંતી કરી છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું, “અમારે ફરિયાદ કરવી છે, તેઓએ ડ્રામા રચવો પડશે. હું મારા વકીલ સાથે એસીબી ઓફિસમાં ફરિયાદ કરવા જઈ રહ્યો છું, એસીબીએ કાર્યવાહી કરવી જાેઈએ. મેં તમારી સામે ફોન નંબર જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ ફોન નંબર પરથી કોલ આવ્યો છે અને ઑફર આવી છે, તો હવે આમાં કયા પુરાવાની જરૂર છે. અમે પોતે એસીબીની ઑફિસમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ.”

સંજય સિંહે સવાલ ઉઠાવ્યો હતો કે શું એસીબી ભાજપની ફરિયાદની રાહ જાેઈ રહી છે? જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તો પછી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? અત્યાર સુધીમાં ૧૬ થી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે, અમે એકનો નંબર જાહેર કર્યો છે. જાે છઝ્રમ્ આ અંગે કાર્યવાહી કરશે તો અમે વધુ માહિતી આપીશું.