National

સરકારી કર્મચારીઓને મોટી ભેટ, ડ્ઢછમાં ૨ ટકાના વધારાને મળી મંજૂરી

કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી

કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. ૭મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા માં ૨ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે.

નવું ડીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ ૪૮.૬૬ લાખ કર્મચારીઓ અને ૬૬.૫૫ લાખ પેન્શનરોને આનો લાભ મળશે. સરકારે વર્તમાન ડ્ઢછ ૫૩ ટકાથી વધારીને ૫૫ ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓને હવે તેમના મૂળ પગારના ૫૫ ટકા મોંઘવારી ભથ્થા તરીકે મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી ખર્ચમાં પણ વધારો થશે. નવા ડ્ઢછ અને ડ્ઢઇથી સરકારી તિજાેરી પર વાર્ષિક રૂ. ૬,૬૧૪.૦૪ કરોડનો વધારાનો બોજ પડશે.

ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, તેથી દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જાે કોઈ કર્મચારીનો મૂળ પગાર ૨૦,૦૦૦ રૂપિયા હોય, તો પહેલા તેને ૫૩ ટકા ડ્ઢછ એટલે કે ૧૦,૬૦૦ રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને ૫૫ ટકા થઈ ગયું છે, જેનો અર્થ છે કે હવે તેને ૧૧,૦૦૦ રૂપિયા મળશે. આનો અર્થ એ થયો કે દર મહિને ૪૦૦ રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે, જાે કોઈ કર્મચારીનો મૂળ પગાર ૫૦,૦૦૦ રૂપિયા હોય તો તેને ૨૬,૫૦૦ રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને ૨૭,૫૦૦ રૂપિયા થશે. એટલે કે પગારમાં ૧,૦૦૦ રૂપિયાનો વધારો થશે.