અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ સોમવારે ત્રણ ધારાસભ્યોને હાંકી કાઢ્યા, જેમણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને રાજ્યસભાની ચૂંટણી જીતવામાં મદદ કરવા માટે મતદાન કર્યું હતું, અને જાહેર કર્યું કે આ ત્રણેય “સાંપ્રદાયિક, વિભાજનકારી અને નકારાત્મક વિચારધારાઓ” સાથે કામ કરી રહ્યા હતા જે પક્ષના મૂળ મૂલ્યોની વિરુદ્ધ હતા.
ફેબ્રુઆરી ૨૦૨૪ માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરનારા સાત ધારાસભ્યોમાં ગોસાઈગંજના ધારાસભ્ય અભય સિંહ, ગૌરીગંજના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ અને ઊંચહારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય દંડક મનોજ કુમાર પાંડે પણ સામેલ છે. ક્રોસ-વોટિંગથી ભાજપને ૧૦ માંથી ૮ બેઠકો જીતવામાં મદદ મળી હતી, જાેકે સપા પાસે ઓછામાં ઓછી ત્રણ બેઠકોનો દાવો કરવા માટે પૂરતી સંખ્યા હતી.
સમાજવાદી પાર્ટીએ જણાવ્યું હતું કે આ ધારાસભ્યોને હૃદય પરિવર્તન માટે આપવામાં આવેલ “ગ્રેસ પીરિયડ” સમાપ્ત થઈ ગયો છે. જાહેર કલ્યાણ અથવા તેના મુખ્ય વૈચારિક માળખા વિરુદ્ધ કાર્ય કરનારા વ્યક્તિઓ માટે પક્ષમાં કોઈ સ્થાન નથી.
સમાજવાદી પાર્ટીએ ત્રણ ધારાસભ્યોને ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, યુવા વિરોધી, વ્યવસાય વિરોધી, રોજગાર વિરોધી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારો વિરુદ્ધ શક્તિઓને ટેકો આપવાનો આરોપ લગાવીને ઠ પર હાંકી કાઢવાની જાહેરાત કરી.
“સમાજવાદી પાર્ટી સમાજવાદી સંવાદિતા અને સકારાત્મક વિચારધારાના રાજકારણથી વિપરીત, સાંપ્રદાયિક વિભાજનકારી નકારાત્મકતા અને ખેડૂત, મહિલાઓ, યુવાનો, વ્યવસાય, રોજગાર અને ‘પીડીએ વિરોધી‘ વિચારધારાને સમર્થન આપવા બદલ જાહેર હિતમાં નીચેના ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢે છે. ગોસાઈગંજના ધારાસભ્ય અભય સિંહ, ગૌરીગંજના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ અને ધારાસભ્ય ઊંચહર મનોજ કુમાર પાંડે,” પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપનારા અન્ય ચાર ધારાસભ્યો માટેનો ગ્રેસ પીરિયડ સારા વર્તનને કારણે સમાપ્ત થયો નથી, એમ તેમાં જણાવાયું છે.
આ ચાર ધારાસભ્યોમાં બિસૌલીના ધારાસભ્ય આશુતોષ મૌર્ય, કાલ્પીના ધારાસભ્ય વિનોદ ચતુર્વેદી, ચૈલના ધારાસભ્ય પૂજા પાલ અને જલાલપુરના ધારાસભ્ય રાકેશ પાંડેનો સમાવેશ થાય છે.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચંદે જણાવ્યું હતું કે ત્રણેય ધારાસભ્યો પીડીએ ચપિચડા (પછાત), દલિત, અલ્પસંખ્યક (લઘુમતી)ૃ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા અને ભાજપના ખોટા કાર્યોની તરફેણમાં બોલતા હતા. “તેમને સુધારવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે, તેઓ પીડીએ વિરુદ્ધ બોલતા રહ્યા, તેથી પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી,” ચાંદે જણાવ્યું હતું.