National

મુકેશ અંબાણી શ્રી વેંકટેશ્વર અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે તિરુમાલા ખાતે અત્યાધુનિક રસોડું બનાવશે

ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદથી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ શ્રી વેંકટેશ્વર અન્ના પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત તિરુમાલા ખાતે એક આધુનિક, અદ્યતન રસોડું બનાવવાની જાહેરાત કરી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સાથે ભાગીદારીમાં અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા સમર્થિત આ રસોડું, ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ હશે જે દરરોજ ૨૦૦,૦૦૦ થી વધુ પવિત્ર ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે સક્ષમ હશે.

મુકેશ અંબાણી તિરુમાલા મંદિરમાં પ્રાર્થના કરે છે

મુકેશ અંબાણીએ રવિવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વહેલી સવારે સુપ્રભાત સેવામાં ભાગ લીધો હતો અને ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્ડ્ઢ) ના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત

કરવામાં આવ્યું હતું જેમણે તેમના માટે ખાસ દર્શનનું આયોજન કર્યું હતું.

વૈદિક આશીર્વાદ અને પવિત્ર પ્રસાદથી સન્માનિત

દર્શન પછી, પુજારીઓએ અંબાણીને રેશમી વસ્ત્રોથી સન્માનિત કર્યા અને મંદિર પરિસરમાં રંગનાયકુલા મંડપમમાં વેદશીર્વચનમ (વૈદિક આશીર્વાદ) રજૂ કર્યા. તેમને દૈવી આશીર્વાદ અને કૃપાના પ્રતીક તરીકે તીર્થ પ્રસાદમ અને ભગવાન વેંકટેશ્વરનું ચિત્ર પણ અર્પણ કરવામાં આવ્યું.

આ મુલાકાત અંબાણી માટે વધુ એક આધ્યાત્મિક સીમાચિહ્નરૂપ છે, જેમણે ભારતભરના પૂજનીય મંદિરોમાં તેમની પ્રાર્થના અને પરોપકારી સહાય દ્વારા ઊંડી ભક્તિ દર્શાવી છે.

શ્રદ્ધા અને પરંપરાને જાળવી રાખવી

તિરુમાલા શ્રદ્ધા, કરુણા અને નિ:સ્વાર્થ સેવાનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ દ્વારા, અંબાણી અન્ન સેવા પરંપરાને તમામ ટીટીડી મંદિરોમાં વિસ્તારવાના વિઝનમાં ફાળો આપે છે, જેથી ખાતરી કરી શકાય કે દરેક ભક્ત ભક્તિ અને કાળજી સાથે તૈયાર કરેલો પૌષ્ટિક પ્રસાદ મેળવે. આ પહેલ તિરુમાલાના આધ્યાત્મિક મિશનના મુખ્ય સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે – ખાતરી કરવા માટે કે કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો ન રહે.

કૃતજ્ઞતા અને વ્યાપક સમર્થન

મુકેશ અંબાણીએ ટીટીડી અને આંધ્રપ્રદેશ સરકારના સહકાર બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો. તેમણે કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરને ?૫ કરોડનું દાન આપીને પોતાના સખાવતી પ્રયાસોનો વિસ્તાર કર્યો, જે ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ટેકો આપવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.