વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કટરા રેલ્વે સ્ટેશનથી કટરા અને શ્રીનગરને જાેડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી.
હવેથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર સુધી દોડતી વંદે ભારત એક્સપ્રેસના લોકો પાઇલટ રામપાલ શર્માએ કહ્યું કે આ આપણા બધા ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ભારતીય રેલ્વેના કર્મચારીઓ દ્વારા દાયકાઓ જૂનું સ્વપ્ન સાકાર થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ રેલ બ્રિજ – અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.
કાશ્મીરમાં બાગાયતી ક્ષેત્ર, જે વાર્ષિક રૂ. ૧૦-૧૨ હજાર કરોડનું છે અને ખીણની અર્થવ્યવસ્થાની વાસ્તવિક કરોડરજ્જુ માનવામાં આવે છે, તે નવી રેલ કનેક્ટિવિટીથી મોટા પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યું છે. હાલમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે ફળ ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે; પરિમપુરા ફળ મંડી એસોસિએશનના પ્રમુખ બશીર સાહેબે જણાવ્યું હતું કે, “જ્યારે કાશ્મીરથી સીધી ટ્રેન દોડવાનું શરૂ થશે, ત્યારે અમને ઘણો ફાયદો થશે. આ પગલાથી આ ક્ષેત્રમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.”

