પ્રધાનમંત્રી મોદીએ અરુણાચલ પ્રદેશમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા પહોંચ્યા, જ્યાં તેમણે ઉદયપુરમાં પુન:વિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલનું ઉદ્ઘાટન કર્યું. દિવસની શરૂઆતમાં, તેઓ અરુણાચલ પ્રદેશ ગયા, જ્યાં તેમણે ૫,૧૨૫.૩૭ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. તેમણે એક રેલીને પણ સંબોધિત કરી, જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ સૌથી જૂની પાર્ટીએ ક્યારેય ઉત્તરપૂર્વના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. તેમણે આગામી પેઢીના GST સુધારાઓ માટે તેમની સરકારની પ્રશંસા પણ કરી, કહ્યું કે GST ‘બચત ઉત્સવ‘ શરૂ થઈ ગયો છે.
“આજે ઇટાનગરમાં વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી. તેમણે ય્જી્ સુધારાઓ અને GST બચત ઉત્સવના પ્રારંભ માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમણે આ પહેલોથી માછીમારી, કૃષિ અને અન્ય સ્થાનિક ઉદ્યોગો જેવા મુખ્ય ક્ષેત્રોને કેવી રીતે ફાયદો થશે તે પર ભાર મૂક્યો. મેં ગુણવત્તાના ધોરણો જાળવવા અને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવાની મજબૂત ભાવનાને પોષવાના મહત્વ પર ભાર મૂક્યો,” ઠ પર પીએમ મોદીએ પોસ્ટ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, “… જૈસે તિરંગે કા પહેલો રંગ કેસરિયા હૈ, વૈસે હી અરુણાચલ કા પહેલો રંગ કેસરિયા હૈ. આ ભૂમિ શૌર્યની ભૂમિ છે.”
વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં રૂ. ૫,૦૦૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે વાતચીત કરી. તેમણે ઇન્દિરા ગાંધી પાર્કમાં તેમની જાહેર સભાના સ્થળે આયોજિત એક પ્રદર્શનની મુલાકાત લીધી અને વાતચીત કરી, અધિકારીઓએ જણાવ્યું.