National

બંધારણના રક્ષણ માટે લોકોએ પોતાના મતદાનના અધિકારનું રક્ષણ કરવું જાેઈએ : રાહુલ ગાંધી

બિહારમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા પર કેન્દ્રની NDA સરકાર પર સીધો હુમલો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે લોકોએ બંધારણનું રક્ષણ કરવા માટે તેમના મતદાનના અધિકારનું રક્ષણ કરવું જાેઈએ.

બિહારમાં SIR એ ભાજપ અને EC ને ખુલ્લા પાડ્યા છે, અને તેથી લોકોએ ભગવા પક્ષના નેતાઓને ‘વોટ ચોર‘ કહેવાનું શરૂ કર્યું છે, એમ તેમણે કોંગ્રેસના ‘મતદાર અધિકાર યાત્રા‘ ના ભાગ રૂપે મધુબની જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા દાવો કર્યો હતો.

“ભાજપના નેતાઓ ચૂંટણી પંચ દ્વારા મતદાન ચોરીમાં સામેલ છે… લોકોએ તેમના મતદાનના અધિકારનું રક્ષણ કરવા અને ભારતીય બંધારણનું રક્ષણ કરવા માટે આગળ આવવું જાેઈએ,” લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું.

લોકોએ યાદ રાખવું જાેઈએ કે જાે તેઓ તેમના મતદાન અધિકાર ગુમાવે છે, તો બંધારણનું રક્ષણ કરી શકાતું નથી, એમ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

બિહારમાં ચૂંટણી પંચે ૬૫ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા, અને આરોપ લગાવ્યો કે ભાજપને મદદ કરવા માટે હવે ૬૫ લાખ મતદારો ઉમેરવામાં આવશે.

“(કેન્દ્રીય ગૃહમંત્રી) અમિત શાહે કહ્યું હતું કે ભાજપ સરકાર બીજા ૪૦-૫૦ વર્ષ સુધી ચાલુ રહેશે. હવે મને સમજાયું કે તેમણે એવું એટલા માટે કહ્યું કારણ કે તેઓ ‘વોટ ચોરી‘માં સામેલ છે અને તેની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી,” તેમણે કહ્યું.

ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ દ્વારા “વોટ ચોરી” કરવાના તેમના આરોપ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઇજીજી બંધારણનું સન્માન કરતું નથી, કારણ કે તે દરેકને સમાન અધિકારોની ખાતરી આપે છે.