ધો.૫માં ભણતી બાળકી બારીમાંથી ઊછળીને બહાર આવી ગઈ, બસ નીચે કચડાઈ
કેરળના કન્નુરમાં બુધવારે સાંજે એક સ્કૂલબસ પલટી જતાં એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે ૧૪ બાળકો ઘાયલ થયાં છે. આ બસ કુરુમાથુર ચિન્મય સ્કૂલની હતી. તે બાળકોને સ્કૂલેથી ઘરે લઈ જતી હતી. બ્રિજ પરથી ઊતરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ઝડપથી ઢાળ નીચે ઊતરવા લાગી. આ દરમિયાન તે એક થાંભલા સાથે અથડાઈ અને બે વાર પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે બસ ઢાળ પરથી ઊતરે છે.
તે પોતાનું બેલેન્સ ગુમાવે છે. બસ ડાબી તરફ વળવા લાગે છે. રસ્તાના સાઈડમાં એક થાંભલો હતો. બસ એક થાંભલા સાથે અથડાઈ અને પલટી ગઈ. બસમાં આંચકો લાગવાને કારણે એક વિદ્યાર્થિની બારીમાંથી ઉછળીને બહાર આવી ગઈ હતી અને બસ તેના પર ફરી વળી હતી.
વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિદ્યાર્થિનીની ઓળખ નેધ્યા તરીકે કરવામાં આવી છે, જે ધોરણ ૫માં અભ્યાસ કરે છે. અકસ્માત બાદ સ્કૂલતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે બસ ડ્રાઇવર સામે કલમ ૨૮૧ (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ), ૧૨૫ (છ) (જીવનને જાેખમમાં મૂકવું), અને ૧૦૬ (૧) (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે.

