National

સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એકવાર મળી ૩૦ દિવસની પેરોલ

હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને જેલમાંથી લેવા આવી

સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એક વાર ૩૦ દિવસની પેરોલ મળી છે. હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને સવારે જેલમાંથી લેવા આવી હતી. રામ રહીમને ઓક્ટોબર ૨૦૨૪માં પેરોલ પણ મળ્યો હતો. આ દરમિયાન રામ રહીમને ૨૦ દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો, ત્યારબાદ તે જેલમાંથી યુપીના બરનવા આશ્રમ ગયો હતો.

પેરોલ સમયગાળા દરમિયાન, રામ રહીમને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રામ રહીમ સિંહે ૫ ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા ૨૦ દિવસના પેરોલ માટે અરજી કરી હતી. આ અરજીના આધારે તેને પેરોલ આપવામાં આવ્યો હતો. પેરોલની શરતો અનુસાર, ડેરા પ્રમુખ ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં અને આ સમયગાળા દરમિયાન તે હરિયાણાની બહાર રહેશે.

૨૦૧૭ માં, કોર્ટે રામ રહીમને તેની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. રામ રહીમ અને અન્ય ત્રણને પણ ૨૦૧૯માં ૧૬ વર્ષ પહેલા એક પત્રકારની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન, મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે પેરોલની શરતો એ હશે કે તે હરિયાણા નહીં જાય, કોઈ જાહેર ભાષણ નહીં આપે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં.

વધુમાં, રામ રહીમની હિલચાલ પર નજીકથી નજર રાખવી જાેઈએ અને તે સુનિશ્ચિત કરવું જાેઈએ કે તે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી, એમ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે. તેમજ જાે રામ રહીમ કોઈ વાંધાજનક પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાય તો તેની પેરોલ તાત્કાલિક રદ કરવી જાેઈએ.