National

કર્ણાટક સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામત ૧૦% થી વધારીને ૧૫% કરી

કર્ણાટક કેબિનેટે ગુરુવારે રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લઘુમતીઓ માટે અનામતની ટકાવારી ૧૦ થી વધારીને ૧૫ ટકા કરવાનો ર્નિણય લીધો. રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે, “રાજ્યભરમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, લઘુમતીઓ માટે અનામત ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.”

સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતીઓમાં બેઘર લોકોની સંખ્યા વધુ હોવાનું જાેયા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.

વિગતો આપતાં, એચ.કે. પાટીલે કહ્યું કે આમાં કોઈ નિયમો બનાવવાની જરૂર નથી કારણ કે તમામ લઘુમતી સમુદાયો માટે અનામત વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ છે.