National

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને FoundItએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

NCS પોર્ટલ પર વાર્ષિક ૧૦ લાખ નોકરીની તકો લાવવા માટે FoundIt સાથે એમઓયુઃ ડૉ. માંડવિયા

રોજગારીનું સર્જન વધારવા અને યુવા રોજગાર વાંચ્છુકો માટે તકોનું વિસ્તરણ કરવાનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં અગ્રણી જાેબ પોર્ટલ ર્હ્લેહઙ્ઘૈંં (અગાઉ મોન્સ્ટર) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ પર કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેનો ઉદ્દેશ એનસીએસ પોર્ટલ પર નોંધાયેલા નોકરી વાંચ્છુકો માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારીની તકો વધારવાનો છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારત અને વિદેશમાં નોકરી વાંચ્છુકો અને રોજગારીની તકો વચ્ચેનાં અંતરને દૂર કરવામાં એનસીએસ પોર્ટલની પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. “એનસીએસ પોર્ટલ એક નિર્ણાયક પ્રવેશદ્વાર બની ગયું છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો રોજગાર શોધનારાઓને નોકરીદાતાઓ સાથે જાેડે છે. તેમણે જણાવ્યું હતું કે, દરરોજ ૩,૦૦૦થી ૪,૦૦૦ જાેબ પોસ્ટિંગ્સ ઉમેરવાની સાથે, આ એમઓયુ દર વર્ષે એનસીએસમાં ૧.૨૫ લાખ આંતરરાષ્ટ્રીય ખાલી જગ્યાઓ અને ૧૦ લાખથી વધુ સ્થાનિક ખાલી જગ્યાઓ લાવશે તેવી અપેક્ષા છે, જે ભારતીય યુવાનો માટે રોજગારની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.”

વધુમાં તેમણે એનસીએસ પોર્ટલની મજબૂત રોજગાર સર્જન મંચ તરીકેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જે વિવિધ ઉદ્યોગોમાં રોજગારી વાંચ્છુકોને જાેડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “૪૦ લાખથી વધારે નોકરીદાતાઓની નોંધણી સાથે, પોર્ટલે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ૪.૪૦ કરોડથી વધારે ખાલી જગ્યાઓ ઊભી કરવાની સુવિધા પ્રદાન કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ સમયે આશરે ૧૦ લાખ રોજગારીની ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે યુવાનો માટે સતત તકોનો પ્રવાહ સુનિશ્ચિત કરે છે.”

પોતાની વૈશ્વિક પહોંચનું વિસ્તરણ કરતાં ડૉ. માંડવિયાએ એનસીએસ પોર્ટલના ઇ-માઇગ્રેટ પ્લેટફોર્મ સાથે સંકલન પર પ્રકાશ પાડ્યો હતો. જે અંતર્ગત વિદેશ મંત્રાલય (એમઇએ) સાથે રજિસ્ટર્ડ ૫૦૦થી વધારે સક્રિય ભરતી એજન્સીઓ (આરએ)ને ઓનબોર્ડ કરવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, “આ પહેલે ભારતીય વ્યાવસાયિકો માટે વિદેશમાં વિશ્વસનીય, ચકાસાયેલા નોકરીદાતાઓ સાથે નોકરીઓ સુરક્ષિત કરવા માટેના દરવાજા ખોલ્યા છે.”

એનસીએસ પોર્ટલને નોકરી શોધનારાઓ માટે મહત્ત્વપૂર્ણ સંસાધન ગણાવતાં ડૉ. માંડવિયાએ યુવાનોને આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવવા અને ઉપલબ્ધ કારકિર્દીની અસંખ્ય તકોનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, એનસીએસ પોર્ટલને માય ભારત, સિડ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યું છે, જે યુવાનો વચ્ચે કૌશલ્યનાં અંતરને દૂર કરે છે, જેથી તેઓ વધારે રોજગારીને પાત્ર બને.

મંત્રાલયના સચિવ શ્રીમતી સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે જર્મની, ફિનલેન્ડ જેવા દેશો અને મધ્ય પૂર્વના દેશો બ્લૂ-કોલર અને વ્હાઇટ કોલર બંને પ્રકારની નોકરીઓ માટે કુશળ કામદારોની સક્રિયપણે શોધ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ એમઓયુથી એનસીએસ આ ખાલી જગ્યાઓની સુવિધા ઊભી કરશે અને ભારતીય નોકરી વાંચ્છુકો માટે કારકિર્દીની તકો વધશે.

ફાઉન્ડઇટના સીઇઓ વી. સુરેશે આ ભાગીદારીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તે સર્વસમાવેશક રોજગારીની તકોને પ્રોત્સાહન આપીને મોદી સરકારના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વિઝન સાથે સુસંગત છે. તેમણે જણાવ્યું હતું કે, “રોજગારી આર્થિક વૃદ્ધિની ચાવી છે અને કારકિર્દીની વધુ સારી સંભાવનાઓ ઊભી કરવાની સરકારની પ્રતિબદ્ધતા એનસીએસ પોર્ટલની સતત સફળતામાં પ્રતિબિંબિત થાય છે, જે લાખો રોજગારી ઇચ્છુકોને ભારત અને વિદેશમાં તકો સાથે જાેડે છે.”

સ્ર્ન્ઈ અને ફાઉન્ડઈટ વચ્ચેના સમજૂતી કરારના લાભોઃ

૧. રોજગારીની તકોમાં વધારોઃ નેશનલ કેરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓને માત્ર ભારતની અંદર જ નહીં, પરંતુ દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ ખાલી જગ્યાઓની સુલભતા મળશે, જેનાથી તેમની રોજગારીની સંભાવનાઓમાં નોંધપાત્ર વધારો થશે.

૨. સીમલેસ જાેબ ઇન્ટિગ્રેશનઃ ર્હ્લેહઙ્ઘૈંં તે એનસીએસ પોર્ટલ પર નોકરીની તકો પોસ્ટ કરશે, જેનાથી નોકરી વાંચ્છુકો માટે રોજગારીની તકો વધશે. તે ભારત, મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં નોકરીદાતાઓ પાસેથી રોજગારીની માગને એકઠી કરશે, જે ઔપચારિક અને અનૌપચારિક એમ બંને ક્ષેત્રોમાં કામ કરવા ઇચ્છે છે. સીમલેસ એક્સેસ માટે સંબંધિત જાેબ સૂચિઓને એપીઆઈ દ્વારા એનસીએસ પોર્ટલમાં એકીકૃત કરવામાં આવશે.

૩. ઇન્ક્‌લુઝિવ હાયરિંગ પ્રેક્ટિસઃ એનસીએસ પોર્ટલ મહિલાઓ અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ર્હ્લેહઙ્ઘૈંં સાથેની આ ભાગીદારી વાજબી અને સર્વસમાવેશક હાયરિંગ પ્રક્રિયાને પ્રોત્સાહન આપશે, જે ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા જૂથો માટે સમાન રોજગારીની તકો સુનિશ્ચિત કરશે.

૪. વૈવિધ્યસભર ટેલેન્ટ પૂલની સુલભતાઃ આ એમઓયુ મારફતે ર્હ્લેહઙ્ઘૈંં એનસીએસ પોર્ટલમાંથી મોટી સંખ્યામાં અને વિવિધતાસભર ઉમેદવારો સુધી પહોંચ મેળવશે, જેમાં મહિલાઓ અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સામેલ છે. શ્રમ અને રોજગાર મંત્રાલય ડેટાબેઝ ઇન્ટિગ્રેશનની સુવિધા આપશે, જે ફાઉન્ડેશનને સતત ટેકનોલોજી ઇન્ટરફેસ મારફતે વિસ્તૃત પ્રતિભા આધાર સાથે જાેડાવા સક્ષમ બનાવશે, જે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે સુલભ હશે.