તમિલનાડુમાં રવિવાર (૮ જૂન) ના રોજ કોઈમ્બતુરમાં ડિંડીગુલ ડ્રેગન્સ અને તિરુપુર તમિઝાન્સ વચ્ચેની તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) મેચ દરમિયાન અમ્પાયરના મેદાન પરના ર્નિણય સામે અસંમતિ દર્શાવવા બદલ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને તેની મેચ ફીના ૩૦% દંડ ફટકારવામાં આવ્યો છે. અશ્વિન અમ્પાયર કૃતિકાના ર્નિણયથી ખુશ ન હતા, જેમણે બોલ લેગ-સ્ટમ્પની બહાર પિચ કરતો દેખાતો હોવા છતાં ડાબા હાથના સ્પિનર આર. સાઈ કિશોરને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો.
આ મેચોમાં અશ્વિન ટુર્નામેન્ટમાં ડિંડીગુલ ડ્રેગનનું નેતૃત્વ કરી રહ્યો છે અને આ મુકાબલામાં તેણે ઇનિંગની શરૂઆત કરી હતી. સાઈ કિશોરના બોલ પર સ્વીપ શોટ લેવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેના પેડ પર વાગ્યો, પરંતુ ફિલ્ડિંગ તરફથી જાેરદાર અપીલ બાદ અમ્પાયરે આંગળી ઉંચી કરી. તેની પાસે ર્નિણયને પડકારવા માટે કોઈ રિવ્યુ પણ નહોતો, કારણ કે તેણે અગાઉ વાઈડ-બોલ કોલ માટે બંને ડ્ઢઇજી ખતમ કરી દીધા હતા.
તે અંતે હતાશામાં મેદાન છોડીને જતો જાેવા મળ્યો હતો અને ગુસ્સામાં તેના પેડ પર બેટ મારતા અને પછી તેના ગ્લોવ્સ ફેંકતા પણ જાેવા મળ્યો હતો. “રમત પછી મેચ રેફરી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અશ્વિનને અમ્પાયરો પ્રત્યે અસંમતિ દર્શાવવા બદલ ૧૦ ટકા અને સાધનોના દુરુપયોગ માટે ૨૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે દંડ સ્વીકારી લીધો હતો,” ્દ્ગઁન્ ના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.
આ ઘટના રમતના પાંચમા ઓવરમાં બની હતી અને અશ્વિનના આઉટ થવાથી ડિંડીગુલ ડ્રેગન્સની ટીમ માત્ર ૯૩ રનમાં જ સમેટાઈ ગઈ હતી. કેપ્ટને ૧૧ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા હતા, જેના કારણે ડ્રેગન ટીમે માત્ર ૫૪ રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. તિરુપુર તમિઝાન્સે ૯૪ રનના નજીવા લક્ષ્યનો પીછો નવ વિકેટ અને ૪૯ બોલ બાકી રહેતા કર્યો હતો.
ડ્રેગન ટીમ હાલમાં ચાલી રહેલી TNPL આવૃત્તિમાં એક-એક મેચ જીતી અને હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

