Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ

મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જાેયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશે

દિવ્યાંગજનો પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જાેયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૩૪ જિલ્લાઓના ૪૦૦૦ દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ તથા ૧૬૭૬ દિવ્યાંગોને જાેયસ્ટિક વ્હીલચેર એમ કુલ ૩૬.૭ કરોડ રૂપિયાના સાધન સહાયનું પ્રતિકરૂપે ગાંધીનગરમાં શુક્રવારે વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં ૬૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી હતી. તદ્અનુસાર, આ સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે ૪૦ જેટલા દિવ્યાંગોને આ મોટરાઇઝ્ડ ટ્રાઈસિકલ અને જાેયસ્ટિક વ્હીલચેર અર્પણ કરી તે અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી શ્રીમતી ડૉ. મનીષાબેન વકીલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે લાગણી સભર સંવાદ કરીને તેમના જીવનમાં આ સાધન સહાયથી આવનારા પરિવર્તન અને સુગમતા વિશે વાતચીત કરી હતી. આ યોજના કાર્યરત થતાં પહેલા દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે હાથથી ચલાવી શકાય તેવી સાદી ટ્રાઈસિકલ અને વ્હીલચેર આપવામાં આવી હતી.

આના પરિણામે દિવ્યાંગ જનોને વધારે શારીરિક શ્રમ કરવો પડતો હતો અને દુર સુધી જવા આવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ જનોની આ વેદના સમજીને તેમાંથી તેમને મૂક્તિ અપાવવાના કરેલા સંવેદનશીલ ર્નિણયના પરિણામે દિવ્યાંગ લાભાર્થીઓને હવે મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જાેયસ્ટિક વ્હીલચેર આપવામાં આવશે.દિવ્યાંગ લાભાર્થીઓને આ નવા સાધન મળવાથી ટ્રાઈસિકલ અને વ્હીલચેર હાથથી ચલાવવામાંથી મુક્તિ મળશે અને તેઓની રોજબરોજની દૈનિક ક્રિયામાં તથા પોતાના કાર્યસ્થળે પહોચવામાં ખૂબ જ સરળતા થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગજનોની સુગમતા માટે વધુ એક સંવેદનશીલ ર્નિણય લઈને દિવ્યાંગોને જાેયસ્ટિક વ્હીલચેર આપવાની યોજનામાં પણ સહાયનું ધોરણ ૨૦૨૬-૨૭ના આ વર્ષથી વધારવાના દિશા નિર્દેશો આપ્યા છે લોકોમોટોર ડિસેબિલિટી સેરેબલ પાલ્સી અને મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી મલ્ટીપલ ડિસેબિલિટી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અવર-જવર કરવામાં સુગમતા રહે અને મુસાફરી દરમિયાન પણ જાેયસ્ટિક વ્હીલચેર સાથે રાખી શકે તે હેતુસર સાદી જાેયસ્ટિક વ્હીલચેરના સ્થાને હવે ફોલ્ડીંગ જાેયસ્ટિક વ્હીલચેર માટે સહાયની રકમમાં વધારો કરીને રૂ. ૧.૧૦ લાખ કરવામાં આવી છે એટલું જ નહિ, મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીની સહાય લાભ મેળવવાની પાત્રતા વય મર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૦ વર્ષ કરવાનો ર્નિણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને લાભાર્થી સહાય માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને એક પણ જરૂરતમંદ દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્ય સરકારની સાધન સહાયથી વંચિત ન રહે તે માટે પણ સૂચનાઓ આપી છે.

દિવ્યાંગજનો માટેના આ સહાયક સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ છન્ૈંસ્ર્ઝ્રં દ્વારા બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આ સાધન સહાય વિતરણ વેળાએ સામાજિક અને ન્યાય અધિકારીતા સચિવ શ્રી ડૉ. હર્ષદ પટેલ, સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમ જાદવ તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.