National

ખાનગી યુનિવર્સિટીઓ નફાના ઉદ્દેશ્યથી ચલાવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ; ઓડિટ કરેલા હિસાબો માંગ્યા

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓએ શિક્ષણના વ્યાપક જાહેર હિતના ઉદ્દેશ્યને પૂર્ણ કરવો જાેઈએ અને નફા માટે કામ ન કરવું જાેઈએ. કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ છ અઠવાડિયાની અંદર યુનિવર્સિટીઓના ઓડિટ થયેલા હિસાબો (જેમાં વધારાની આવક, ખર્ચ, ફીની વસૂલાત અને કર્મચારીઓના પગારની વિગતો હોય) તેમજ પ્રવેશ, ભરતી અને શિક્ષણના ધોરણો અંગેની માહિતી રજૂ કરે.

ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને એન.વી. અંજારીયાની બેન્ચે કહ્યું, “આ વ્યવસ્થા વ્યાપક જનતા માટે કામ કરે છે, ખાસ કરીને શિક્ષણને લગતી બાબતોમાં. અમે સ્પષ્ટ કરીએ છીએ કે કોઈ પણ ખાનગી યુનિવર્સિટી નફો કરતી સંસ્થા તરીકે ચલાવવી જાેઈએ નહીં. તેણે શિક્ષણના વ્યાપક જાહેર હિતના ઉદ્દેશ્યને પૂર્ણ કરવો જાેઈએ.” કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાલન માટે અનેક નિર્દેશો જારી કર્યા હતા.

આ આદેશો એમિટી યુનિવર્સિટીને લગતા એક કેસમાં આપવામાં આવ્યા હતા, જેમાં કોલેજના રેકોર્ડમાં નામ બદલવાની માંગ કરવા બદલ એક વિદ્યાર્થીને હેરાન કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ બાબત હાથ પર લેતા, કોર્ટે નવેમ્બર ૨૦૨૫માં વ્યાપક આદેશો આપ્યા હતા અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ યુનિવર્સિટીઓની સ્થાપના કેવી રીતે થઈ, તેમને કયા લાભો આપવામાં આવ્યા અને તેઓ ‘નો પ્રોફિટ-નો લોસ‘ (નફો નહીં-નુકસાન નહીં)ના નિયમનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટેની નિયમનકારી વ્યવસ્થા અંગેની વિગતો પૂરી પાડે.

ગુરુવારે, કોર્ટે વધુ આદેશો જારી કરવાની જરૂરિયાત અનુભવી અને કહ્યું કે, “આ સંસ્થાઓને માત્ર નફો કમાવવાના ઉદ્યોગ તરીકે ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં.” કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો કે તેઓ પ્રવેશ સમયે અને અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ મથાળા હેઠળ વસૂલવામાં આવેલી ફી, શિક્ષણ અને બિન-શિક્ષણ સ્ટાફની ભરતી માટે જવાબદાર બોર્ડ, તેમના પગાર અને ભથ્થાં તેમજ તેમની સેવા શરતો અંગેની વિગતો પૂરી પાડે.

કોર્ટે કહ્યું, “રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ યુનિવર્સિટીઓ ભંડોળની પ્રાપ્તિ, તેના ઉપયોગ અને યુનિવર્સિટીના સંચાલન સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય તેવા વ્યક્તિઓને કરવામાં આવેલી ચૂકવણી અંગે ઓડિટ થયેલા અહેવાલો રજૂ કરે.” યુનિવર્સિટીઓએ જમીનની ફાળવણી અથવા કાનૂની મુક્તિના સંદર્ભમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો પાસેથી મેળવેલા તમામ લાભો અને વિશેષાધિકારોની વિગતો પણ જણાવવી પડશે.

આદેશમાં વધુમાં જણાવાયું છે કે, “આ માહિતીમાં વધારાના ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવશે, જેમાં આ ભંડોળના રોકાણની વિગતો ખાસ રીતે આપવામાં આવશે.” રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માહિતી છુપાવવા સામે ચેતવણી આપવામાં આવી હતી અને સંબંધિત યુનિવર્સિટીઓ પાસેથી તમામ માહિતી મેળવવા માટે કાનૂની માળખા હેઠળ તેમની સત્તાનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અદાલતે આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા અને શિક્ષણની ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કોર્ટે પ્રવેશ માટે જવાબદાર વ્યક્તિઓ, પ્રશ્નપત્રો તૈયાર કરવા, ઉત્તરવહીઓનું મૂલ્યાંકન અને આ કાર્યોમાં વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)ની ભૂમિકા અંગે વિગતો માંગી હતી. આ આદેશમાં શિક્ષકોને ફાળવવામાં આવેલા શિક્ષણના કલાકો અને તેમણે ખરેખર લીધેલા વર્ગોની વિગતો પણ માંગવામાં આવી હતી. આ નિર્દેશનું સમર્થન કરતા કોર્ટે કહ્યું, “અમે જાણવા માંગીએ છીએ કે શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય.”

આ આદેશો પસાર કરવામાં કોર્ટને ભૂતપૂર્વ ભારતીય કાનૂની સેવા (ૈંહઙ્ઘૈટ્ઠહ ન્ીખ્તટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠી) અધિકારી આર.એમ. શર્માનું માર્ગદર્શન મળ્યું હતું, જેઓ ‘એમિકસ ક્યુરી‘ (કોર્ટના મિત્ર) તરીકે કોર્ટને સહાય કરી રહ્યા છે. અત્યાર સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળેલી માહિતીના આધારે, તેમણે પ્રવેશ, ફરિયાદોના નિવારણ અને ‘નો-પ્રોફિટ-નો-લોસ‘ (નફા-નુકસાન રહિત)ના નિયમ તેમજ વધુ તપાસની જરૂર હોય તેવા અન્ય મુદ્દાઓ અંગે ચિંતાજનક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.

કોર્ટે નેશનલ મેડિકલ કમિશન, નેશનલ ડેન્ટલ કમિશન, ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ફાર્મસી કાઉન્સિલ, વેટરનરી કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન જેવી તમામ નિયમનકારી સંસ્થાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સંલગ્નતા (એફિલિએશન) સંબંધિત કોલેજાેના નિરીક્ષણની વિગતો તેમજ સમગ્ર ફેકલ્ટી અને સહાયક સ્ટાફનો ડેટાબેઝ રજૂ કરે.

આ સંસ્થાઓને એ પણ જણાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો કે નિરીક્ષણ દરમિયાન તેમને કઈ ખામીઓ જણાઈ હતી અને શું સંબંધિત યુનિવર્સિટી કે સંસ્થા દ્વારા તે ખામીઓ સુધારવામાં આવી હતી કે નહીં.

કોર્ટને આઈપીએસ (ૈંઁજી) અધિકારી અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી અશોક પ્રસાદના નેતૃત્વ હેઠળની સમિતિની પણ મદદ મળી હતી. તેમને અરજદાર સાથે શું બન્યું હતું તેની પ્રાથમિક તપાસ કરવા અને એમિટી યુનિવર્સિટીનો સંપર્ક કરીને પુરાવા એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રસાદે કોર્ટને જણાવ્યું હતું કે અનેક રીમાઇન્ડર્સ છતાં, ઘણા સાક્ષીઓ જુબાની આપવા માટે આગળ આવી રહ્યા નથી. કોર્ટે યુનિવર્સિટી અને તમામ સંબંધિત સત્તાવાળાઓને તપાસમાં સહકાર આપવા માટે વ્યાપક આદેશ જારી કર્યો અને નિર્દેશ આપ્યો કે સુનાવણીની આગામી તારીખ સુધીમાં અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવે.

અરજદાર વિદ્યાર્થીનીએ, વકીલ ચારુ માથુર દ્વારા રજૂઆત કરતા, કોર્ટને એ પણ જણાવ્યું હતું કે તેને દરરોજ હેરાન કરવામાં આવી રહી છે, કારણ કે તેના વિશે અપમાનજનક અને બદનક્ષીકારક સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઓનલાઇન ફેલાવવામાં આવી રહી છે. કોર્ટે તેને રક્ષણ પૂરું પાડતા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તમામ વાંધાજનક લિંક્સ દૂર કરવામાં આવે, કારણ કે આ બાબત હજુ કોર્ટના વિચારણા હેઠળ છે.