પાલનપુર
વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા છે અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી પાલનપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરસભાને સંબોધન કર્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, સંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત દાંતા, પાલનપુર, વડગામ, ડીસા અને ધાનેરાના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં સભા સ્થળે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા હતાં. પીએમ મોદીએ કહ્યું, ૨૦૧૭ની ચૂંટણી તમને બધાને યાદ હશે અથવા ભૂલી ગયા છો. તમને એ યાદ હશે કે કેટલાય કમળ નહતા ખીલ્યા. એ વખતે ચૂંટણી સભાઓના છેલ્લા દિવસો હતા અને હું અહીં આવ્યો હતો મારો અવાજ ખરાબ હોવાથી હું એક શબ્દ પણ બોલી નહોતો શક્યો પણ તમે બહુ પ્રેમ આપ્યો હતો. અવસર ચૂંટણીનો છે પણ હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કારણકે તમે વોટ તો ભાજપને જ આપવાના છે. પીએમ મોદીએ કહ્યું, તમને પસ્તાવો થતો હશે પણ હવે તમે આ વિસ્તારમાં કમળ ખિલાવવાનો નીર્ધાર કર્યો છે. હું હમણાં હમણાં બનાસકાંઠામાં બહુ વખત આવ્યો એટલે મને ખબર પડી વાતાવરણ વાવાઝોડા જેવું છે. આ ચૂંટણી ધારાસભ્યો કે સરકારી બનાવવાની નથી આ ચૂંટણી તો આગામી ૨૫ વર્ષમાં પ્રગતિ થાય તેના માટે છે. પીએમ મોદીએ કહ્યું, હું આજે પાલનપુરમાં આવ્યો છું તો મારું ધ્યાન પાંચ પ ઉપર જાય છે. પર્યટન ,પર્યાવરણ ,પાણી,પશુધન અને પોષણ… હું આ પાંચ જ મુદાને મારા દિલ દિમાગમાં મારા બનાસકાંઠા, મારા ગુજરાત અને ભારત માટે સીધી રેખાનો રોડ મેપ પડ્યો છે એ તમારા ધ્યાનમાં આવશે. પીએમ મોદીએ કહ્યું, પર્યટનના કારણે દુનિયા ખુબજ નાની થઈ ગઇ છે. બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં જ્યાં આટલું સરસ રણને આપણે તોરણ બનાવી દીધું છે ત્યાં વિકાસની કેટલી સંભાવના છે. ધરોઈ.માં અંબા અને હવે તો માં નડાબેટ નડેશ્વરી, રણ, પાટણની વાવ અને પેલી બાજુ કચ્છનું રણ… હમણાં ગબ્બર ઉપર લાઈટિંગ શો કર્યો… માં અંબાનું ધામ બદલી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર દુનિયા ભરના લોકો આવે છે તો મારા ધરોઈ ઉપર કેમ ન આવે. ધરોઈથી અંબાજી સુધી ઇકો ટુરિઝમ,યુવાનોને આકર્ષે તેવું પર્યટન ૧૧૦૦ કરોડના ખર્ચે કરવાનું કામ ભૂપેન્દ્રભાઈ એ કર્યું છે. પાટણની વાવની દુનિયામાં ગુંજ છે પીએમ મોદીએ કહ્યું, ૫૦૦ રૂમની હોટલ બનાવવી હોય તો ૫૦૦ કરોડ જાેઈએ પણ આપણે સ્સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં ૫૦૦ હોમ ટેક બનાવ્યા જેના કારણે ત્યાંના લોકોને રોજગારી મળવા માંડી છે. પીએમ મોદીએ કહ્યું, આપણું ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. કચ્છ સુધીનો આખો પટ્ટો ગ્રીન હાઇડ્રોજન હબ બનશે. આવનાર દિવસોમાં તમારી ગાડીઓ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. બનાસડેરીએ ગોબરગેસનો પ્લાન્ટ બનાવ્યો છે. તમારી વાહનોની અંદર બાયોફીલ હશે તેના કારણે પર્યાવરણની રક્ષા થશે અને તમારા વાહનની એનર્જી વધશે તો પશુપાલકની આવક વધશે. પીએમ મોદીએ કહ્યું, બનાસકાંઠામાં લોકોને ટપક સિંચાઈ અપનાવીને પાણી બચાવ્યું.. દરેક જિલ્લામાં ૭૫ અમૃત તળાવો બનાવ્યા.. અહીં પાણી માટે લોકો વલખા મારતા અને સુજલામ સુફલામ યોજનાની વાત કરતો તો લોકો મારી મજાક ઉડાવતા. પણ આજે સુજલામ સુફલામ અને નર્મદા યોજનાથી આ વિસ્તારમાં કાયા પલટ થઈ છે. પીએમ મોદીએ કહ્યું, જે રીતે લોકોને ટીકાકરણ કર્યું તેમજ પશુઓને પણ ટીકાકરણનું કામ હું કરી રહ્યો છું..૧૩૦૦ કરોડનું ખર્ચ.. તમે આ વખતે વોટ આલવા જાઓ ત્યારે તમારા ૨૫ વર્ષનો વિચાર કરજાે અને વિકાસનો વિચાર કરીને વોટ આપજાે… પીએમ મોદીએ કહ્યું, બનાસકાંઠામાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. આખા ભારતનો સમાન કંડલા પોર્ટ ઉપર જવાનું છે તો વાયા પાલનપુર થઈને જવાનું છે. હવે ઉજ્જવળ દિવસનો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના થવાના છે. મારે બનાસકાંઠા પાટણ કચ્છ આ દુર્ગમ વિસ્તારથી હું પરિચિત છે. મને તમે દિલ્હીમાં બેસાડ્યો છે તો તમારા કામમાં તો આવુંને પણ તમે જ કામમાં ન લો તો. આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરો..તમે લોકોસભામાં મને ખુબ મત આપ્યા તેનો પણ આ વખતે રેકોર્ડ તોડી નાખો.
