Gujarat

SMVSસ્વામિનારાયણ હોસ્પિટલને ધારાસભ્ય જે. એસ. પટેલનાં હસ્તે પુરસ્કાર કરાયો એનાયત

અમદાવાદ
ગુરુદેવ પ.પૂ.બાપજીનાં સંકલ્પે માર્ચ ૨૦૧૯માં શરુ થયેલ અને ગાંધીનગર, અમદાવાદ તથા આજુબાજુના જિલ્લાનાં દર્દીઓ માટે જીસ્ફજી સ્વામિનારાયણ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે. ચાર વર્ષનાં ટૂંકા ગળામાં તમામ પ્રકારના લાખો દર્દીઓની સફળતાપૂર્વક સેવા કરવાની સાથે સાથે હોસ્પિટલ આરોગ્યનાં ગુણવત્તાનાં માપદંડ જાળવી રાખી સેવા કરી રહી છે. જીસ્ફજી સ્વામિનારાયણ હોસ્પિટલ પહેલા જ વર્ષથી, હોસ્પિટલો માટેનાં ગુણવત્તાનાં ઉચ્ચતમ માપદંડ દ્ગછમ્ૐની માન્યતા ધરાવે છે. હોસ્પિટલ જરૂરીયાતવાળા દર્દીઓને ઉચ્ચતમ ગુણવત્તા વાળી સારવાર, પોસાય તેવા દરે મળી રહે એવા એક માત્ર ઉદ્દેશથી ચાલી રહી છે. કોરોના દરમિયાન દર્દીઓની કરેલી સારવાર માટે હોસ્પિટલને ૨૦૨૧માં સરકાર તરફથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે યોજાયેલ પ્રજાસતાક દિને જીસ્ફજી સ્વામિનારાયણ હોસ્પિટલને વધુ એક વખત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (મા યોજના) અંતર્ગત શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત આરોગ્ય સંબંધી સેવા પૂરી પાડવા બદલ ગુજરાત રાજ્યનાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ગાંધીનગર કલેકટર પ્રવિણા ડી.કે. તથા માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલનાં હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તથા હોસ્પિટલને સરાહનીય કામગીરી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *