બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પુજ્ય વિસણબાપુની જગ્યાના સંચાલક અને અખિલ ભાયતીય સંત સમિતિના કાયમી સભ્ય પુ.ભયલુબાપુ નું બરવાળા ગામના આગેવાનોએ સાલ ઓઢાડી સાફો પહેરાવી ભવ્ય સન્માન કર્યુ.તેમજ બરવાળા ગામની પાંજરાપોળ ના લાભાર્થે કથા બેસાડવાની હોય એ નિમિતે જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પુજ્ય વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ તેમજ અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સભ્ય પુજ્ય ભયલુબાપુ ને કથા મા પધારવા આમંત્રણ આપવામાં આવ્યુ તેમજ પુ.ભયલુબાપુ નુ સત્કાર સન્માન બરવાળા પાંજરાપોળ ના પ્રમુખ દીપકભાઈ રાણપુરા , કથાકારશ્રી હસુરામબાપુ , ટ્રસ્ટી દિલાવરસિંહ જામભા ઝાલા , બકુલભાઈ મેહતા , રાજુભાઇ વાસણવાળા , રાજુભાઇ સોની , કિશોરભાઈ કંસારા , હિમાંશુભાઈ વાગડીયા , નવલભાઈ બારડ , સંજયભાઈ પટેલ , રામકુભાઈ માંજરીયા , હરેશભાઇ પટગીર મંતવ્ય ન્યૂઝ બોટાદ , પ્રદીપભાઈ ખાચર , કનુભાઈ માથુકીયા , મુન્નાભાઈ ભરવાડ , હિમ્મતભાઈ મેર , સંદીપભાઈ વાળા , અરજણભાઈ મકવાણા , જેઠાભાઇ ભરવાડ વગેરે મહાનુભાવો હાજર રહેલા હતા અને પુ.ભયલુબાપુ ના આશીર્વાદ મેળવ્યા હતા અને રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ તેમજ જગ્યાની બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ અને રામકથા દરમિયાન વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુ ના ઉતારા સમયે વિહળવટિકા સ્થિત કૈલાસ બંગલો ના દર્શન નો પણ લાભ લીધેલ અને ભોજન પ્રસાદ નો સાથે મળી લાભ લીધેલ અને રજા આપેલ…
તમામ અગ્રણી લોકો દ્વારા જગ્યા મા આવકારો અને મહેમાનગતિ તેમજ જગ્યાની મુલાકાત લેતી વખતે ચોખ્ખાઈ તેમજ ચોકસાઈ વહીવટ અને સમય ની માંગ પ્રમાણે અતિ આધુનિકીકરણ અને ઝડપી વહીવટ જોય ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો…


