વડતાલ દેશના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી(SVG ) દ્વારા સંચાલિત સુરતના શ્રી ઘનશ્યામ બાળ મંડળો હરેકૃષ્ણ કેમ્પસ વ્રજભૂમિ સેક્ટર સરથાણા સુરત ખાતે 800 કરતાં પણ વધારે બાળકો વચ્ચે સ્પોર્ટ્સ ડે યોજાયો હતો કે જેમાં ક્રિકેટ, કબડ્ડી, ખો- ખો જેવી 15 થી પણ વધારે રમતો હતી અને અંતે દરેક રમતના ટોપ થ્રી વિજેતાઓ ને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા 17 થી પણ વધારે બાળમંડળો ચાલી રહ્યાં છે જેમા કેવલભાઈ નાકરાણી તથા વિજયભાઈ નાગાણી જેવા હરીભક્તો નો પણ ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો અને બાળકોને રમત દ્વારા શારીરિક માનસિક અને ખેલદિલીની ભાવના નિર્માણ થાય તેવી વાતો પણ કરી હતી.


