મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે આવેલ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સમલગ્ન શ્રી દિવ્ય જ્યોત જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ વાટીકા, પ્રાથમિક, માધ્યમિક વિદ્યાલયનો સપ્તરંગી ભારત વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો વાર્ષિકોત્સવનું દીપ પ્રાગટ્ય સંતરામ મંદિર નડિયાદના સંત નિર્ગુણદાસ મહારાજ,સક્ષમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રફુલભાઈ એડનવાલા અને પૂવૅ ડીજીપી પરેશભાઈ ઘોરા દ્વારા કરવામાં આવ્યું હતું વાર્ષિકોત્સવ પ્રસંગે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર જુનિયર કેજી તથા ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા હરીફાઈ સહિત વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વાર્ષિકોત્સવમાં શાળાનો સ્ટાફ,વાલીઓ સહિત ગ્રામજનો મોટીસંખ્યા ઉપસ્થિત રહ્યા હતા


