Gujarat

ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવન     

 એપીએમસી-જૂનાગઢ ખાતે ખેડૂતોની સુવિધામાં વધારો કરતાં કિસાન ભવનનું દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે. આ ભવનમાં ખેડૂતો માટે કેન્ટીન, આરામ ગૃહ અને કિસાન માહિતી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત એપીએમસીના હોદ્દેદારો  માટે બોર્ડ મીટીંગ રૂમ અને કર્મચારીઓ માટેની ઓફિસ પણ તૈયાર કરવામાં આવી છે. આમ, જૂનાગઢ એપીએમસીની માળખાગત સુવિધામાં ખૂબ મોટો વધારો થવા જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કિસાન ભવન, એપીએમસીના જુદા-જુદા શેડના નવા છાપરા, એક નવા શેડનું નિર્માણ અને એપીએમસીમાં આંતરિક સીસી રોડ અંદાજે રૂ.૮ કરોડના ખર્ચે  આ કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *