કેન્દ્રીય મંત્રીશ્રીના જનહિતના કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજનના સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેશે અને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આ પ્રસંગે જૂનાગઢ એપીએમસીમાં પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના પ્રદર્શનો માટે ૨૦ જેટલા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.
જિલ્લા સહકારી બેંક અને એપીએમસી જૂનાગઢના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીશ્રીના સમગ્ર કાર્યકમની પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. આ સમારોહમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો માટે ભોજન ઉપરાંત અન્ય મૂળભૂત સુવિધાઓ માટે તકેદારી લેવામાં આવી રહી છે.
