Gujarat

સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ ના પછાત વિસ્તારોના ૧૩૬૭ લોકોએ ઇ-શ્રમ કાર્ડ કઢાવ્યા 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાંસદશ્રી કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી કસવાલાના માર્ગદર્શન નીચે નગરપાલિકા ના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની મહેનત રંગ લાવી.
———————————————————————
સાવરકુંડલા શહેરી વિસ્તાર  વોર્ડ નંબર ૬ ના પછાત વિસ્તારોમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાના માર્ગદર્શન નીચે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની ડિક્ષનેરીમાં નથી તેવા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની જન કલ્યાણનો મુળ હેતુ છેવાડાના માનવી સુધી પહોચાડવા ઇ-શ્રમ કાર્ડના કેમ્પ વોર્ડ નંબર ૬ ના દેવીપૂજક વિસ્તાર, ગાયત્રી સોસાયટીની બાજુનો પછાત વિસ્તાર,  આનંદપાર્કની બાજુનો પછાત વિસ્તાર, વિધુતનગર સામેની વસાહત, વેલનાથપરા, ઇન્દિરા વસાહત સહિતના વિસ્તારોમાં ઇ-શ્રમ કાર્ડ કાઢવા માટે નગરપાલિકાના  NULM શાખાના કર્મચારી  રાજેશભાઇ દામોદ્રરા અને અંજનાબેન ડાભી એ પછાત વિસ્તાર હોય લોકો દિવસે મજુરી કામે જતા હોય જેથી વિસ્તાર પ્રતિનિધિ તરીકે અમારી રજુઆતને ધ્યાને લઇ સાંજના સમયે વિસ્તારમાં કાર્ડ કઢાવવાની વ્યવસ્થા કરેલ જેમાં પછાત વિસ્તારોના ૧૩૬૭ લોકો એ ઇ-શ્રમ કાર્ડ કઢાવ્યા તેમ નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની અખબારી યાદીમાં જણાવ્યું છે

IMG-20230427-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *