છુછાપુરા ખાતે પીર ખ્વાજા જલ્દ નવાજ નાં ઉર્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે
બોડેલી નજીક છુછાપુરા ગામે આવેલા સુપ્રસિદ્ધ દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એવા ખ્વાજા જલ્દ નવાજ સરકાર નો ઉર્સ 23 મેના રોજ ઉજવવામાં આવશે અને 22 મે સોમવાર ના રોજ સાંજે સંદલ શરીફ ચડાવવામાં આવશે સંખેડા તાલુકા ના છુછાપુરા ગામમાં આવેલ દરગાહ જ્યાં દરેક ધર્મના લોકો પોતાની મનોકામના માટે જતા હોય છે અને તેમની મનોકામના પૂરી થાય છે ખ્વાજા જલ્દ નવાજ નો ઉર્ષ ધામધૂમથી મનાવવામાં આવશે
22મી મે સોમ વાર ના રોજ સાંજે સંદલ શરીફ યોજાશે 23 મી મે મંગળવાર ના રોજ ઉર્સ ની ઉજવણી થશે અને રાત્રે કવાલી નો પ્રોગ્રામ યોજાશે સદલ ના દિવસે સાંજે આમ નયાજ નું આયોજન કરવામાં આવ્યું છે છુછાપુરા ખ્વાજા જલ્દ નવાજ સરકાર ના ઉર્સ ની ઉજવણી 23 મે મંગળવાર ના રોજ ધામધૂમથી કરવામાં આવશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


