Gujarat

પેઇન્ટીંગ, શિલ્પકલા અને છબીકલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ગુજરાતના ૩૧ કલાકારોને ગૌરવ પુરસ્કાર અપાશે

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ,
શિલ્પકલા અને છબીકલાના ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર યોગદાન આપનારા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત
કરાય છે. આ માટે રાજ્ય સરકારે કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ સમારંભ યોજીને
પસંદ થયેલા આ કલાકારોને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને તામ્રપત્ર વડે સન્માનિત કરવામાં આવશે, એમ ગુજરાત રાજ્ય
લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે.
ગૌરવ પુરસ્કૃત કલાકારોને વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ માટે સન્માનિત કરવા કુલ ૩૧
કલાકારોની પસંદગી યાદી જાહેર કરાઈ છે, જે નીચે મુજબ છે.
વર્ષ ૨૦૧૬-૧૭
ક્રમ ક્ષેત્ર કલાકારનું નામ
૧ ચિત્રકલા શ્રી જયંતીલાલ રાબડીયા
૨ ચિત્રકલા શ્રી મિલન દેસાઈ
૩ ચિત્રકલા શ્રી કશ્યપ પરીખ
૪ છબીકલા શ્રી અમુલ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *