બે વર્સ અગાઉ ઓરસંગ નદી પરની ગ્રીલ સાથે કાર અકસ્માત થયો હતો જેમાં કોઈ જાન હાનિ થઈ નહતી પણ લોખન્ડ ની ગ્રીલ સાથે ધમકા ભેર અવાજ આવ્યો હતો અને હજુ એજ તૂટેલી પરિસ્થિતિમા છે તંત્ર પાસે ખર્ચ ની જોગવાઈ નહિ હોય એટલે આજદિન સુધી બનાવવામાં નથી આવી અને આગળ ઓરસનગ નદી પર નો પુલ તૂટી જવાની શક્યતા દેખાઈ રહી છે આ નદી પર ભારદાર વાહનો હજારો ની સંખ્યામાં અવર જવર થાય છે પણ તંત્ર ને તો નવા કામ હોય એમાજ રસ હોય નવા કામો માં મલાઈ વધુ મળતી હોય છે એમ રાહદારીઓ નું કહેવું છે .આમ પણ સંખેડા નગરને હાસ્યા માં ધકેલાઈ ગયું છે આ તાલુકામાં જેટલા રોડ રસ્તા બન્યા છે તેમા સરકારી બાબુઓને ફક્ત મલાઇજ મળી છે.સંખેડા ની ઓરસંગ નદી પરની લોખન્ડ ની ગ્રીલ છેલ્લા વર્ષ થી તૂટેલી અવસ્થા માં જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


