તાજેતરમાં જ ધોરણ ૧૨નુ પરિણામ જાહેર થયું.
જેમાં કુંકાવાવ નાં વતની જાનવી બેન જૈવત ભાઈ વાળા એ રાજકોટ ખાતે જી.કે.ધોળકીયા સ્કૂલ માં થી ૧૨ કોમર્સ માં ૯૯.૨૯પી.આર.સાથે
ઉત્તિર્ણ થઈ સમગ્ર શાળા પરિવાર, ક્ષત્રિય સમાજ, અને કુંકાવાવ ગામ નું ગૌરવ વધાર્યું છે.
જે બદલ ધોળકિયા સ્કૂલ સંચાલકો શ્રી અનક ભાઇ વાળા તેમજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા છે તથા કુંકાવાવ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ શુભકામના પાઠવી હતી.
કથાકાર શ્રી મનોજ ભાઇ જોષી એ જાનવી બેન જૈવત ભાઈ વાળા તેમજ તેના માતા પિતા ને ખુબ પ્રગતિ થાય તેવા શુભ આશિર્વાદ આપ્યા છે.


