Gujarat

શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવું અને તેમણે હેડ કવાર્ટર છોડવું નહીં

બિપરજોઈ  વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે જૂનાગઢ જિલ્લામાં તા.૧૫ જૂન સુધી રજા જાહેર કરવામાં આવી હતી.

અગમચેતી અને સાવચેતીના ભાગરુપે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વધુ બે દિવસ

તા.૧૬ જુન અને તા. ૧૭  જૂન,૨૦૨૩ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસીય રજા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય, સહિત સમગ્ર સ્ટાફે હાજર રહેવાનું રહેશે. શાળાના કર્મચારીશ્રીઓએ હેડ કવાર્ટર છોડવું નહીં, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *