Gujarat

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસ.ટી.વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર
એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે.વિભાગ હેઠળના
જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની
બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકારશ્રી તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પૂનઃ તાત્કાલિક અસરથી શરૂ
કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક શ્રી સંજય જોશી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *