અસરગ્રસ્તો ને રાહત આપવા માટે ભાજપ દ્વારા અનેક સ્થળ ઉપર સહાય આપવામાં આવી પરંતુ જામનગર ખાતે કંઇક અલગ જોવા મળ્યું છે… જામનગર ખાતે ધારાસભ્ય રીવાબા જાડેજા એ સહાય આપવા સાથે પ્રસિદ્ધિ મેળવવા સહાય માટેના પેકેટ માં પ્રસિદ્ધિ માટેના લખાણ અને પ્રતીક છપાવી વિતરણ કર્યા હતા.. પ્રદેશ
ભાજપ ની સ્પષ્ટ મનાઈ હતી કે કોઈ પણ નેતા એ પ્રસિદ્ધિ થાય એ માટે ગરીબોને આપવાની ફૂડ સામગ્રી ઉપર લખાણ કે ફોટા નહી લગાવવા પરંતુ પ્રસિદ્ધિ ની ભૂખ કહો કે આદત જામનગર નાં નેતાઓ ગરીબોની અને અસર ગ્રસ્તોની લાગણી સાથે રમત રમતા હોય તેવું જોવા મળ્યું..


