માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વિકાસ તીર્થ અભિયાન ” અંતર્ગત કવાંટ તાલુકાના આથાડુંગળી નવીન ગ્રામ પંચાયત, નાનીદેવધ નવીન આંગણવાડી, મોટીસાંકળ નવીન આંગણવાડી, થડગામ નવીન ગ્રામ પંચાયત તેમજ થડગામ નવીન આંગણવાડીના મકાનોનું લોકાર્પણ કરી મુલાકાત લીધી.
છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી, જેતપુર પાવી વિધાનસભાના વિસ્તારકશ્રી, કવાટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ કવાટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી, સહ સંયોજકશ્રી મુકેશભાઈ રાઠવા , જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સહિત વિવિધ હોદેદારો પદાધિકારીઓ હાજર રહ્યા..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


