કઠલાલમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ. કઠલાલ પટેલ વાડા ખાતે આવેલ રામજી મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા કઠલાલ ના પટેલ વાડો, આઝાદપોળ,સતી પીપળી,ભાવસાર સહિત નગરના તમામ વિસ્તારમાં ફરી હતી.મામેરાનો કાર્યક્રમ ભાવસાર વાળ યોજવામાં આવ્યો હતો.ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.કઠલાલ નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઇ અને તમામ જગ્યાએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


