વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે
***
અરજદારોએ તા.૧૯-૦૭-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક થી ૨૧-૦૭-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે
***
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ), તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી ઓકશન ટુ વ્હીલર જી.જે.૦૭, ઇ.એમ (EM), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.ઈ (DE) તથાં થ્રી વ્હીલર જી.જે.૦૭. ટી.વી. (TV) અને ટ્રાન્સપોર્ટ જી.જે.૦૭. ટી.યુ. (TU), તા.૧૯-૦૭-૨૦૧૩ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી ઓકશનમાં ભાગ લઈ શકશે.
જે માટે અરજદારોએ parivahan.gov.in વેબસાઇટ પર જઇ વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું; ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું; જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું; આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું; પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરી દેવી; ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો; હરાજીમાં નંબર મેળવ્યા બાદ ‘’૫’’ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી; હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રુઅલ લઈ નંબર લઈ લેવો; વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
ટુ વ્હીલર સીરિઝ GJ ૦૭- EM- નું ઓનલાઈન રી ઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ૦૭-DE- નું ઓનલાઈન રી ઓકશન થશે. થ્રી વ્હીલર સીરિઝ GJ૦૭-TV- નું ઓનલાઈન રી ઓકશન થશે. ટ્રાન્સપોર્ટ સીરિઝ GJ૦૭-TU- નું ઓનલાઈન રી ઓકશન થશે.
નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે અરજદારે તા.૧૯-૦૭-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક થી ૨૧-૦૭-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૨૧-૦૭-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક થી ૨૩-૦૭-૨૦૨૩ ના સાંજે ૦૪:૦૦ કલાકે ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. તા.૨૪-૦૭-૨૦૨૩ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે.
સેલ ઈન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન કરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી. જેની તમામ અરજદારોએ નોંધ લેવી તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નડિયાદ દ્વારા જણાવાયું છે.