તા.૧૪ જુલાઈના રોજ સાહિલ બાબરભાઈ નાયકા ઉ.વ.૧૭ રહે.જલોદા, આંગણવાડી ફળિયા,તા. છોટાઉદેપુર પોતાના ઘરેથી ક્યાંક જતા રહેલ છે જે આજ દિન સુધી પરત આવેલ નથી. તેઓ શરીરે માધ્યમ બંધના, રંગે ગોરાવર્ણ, કાળા કલરનો શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેરેલ છે.પગમાં બુટ પહેરેલ છે, વાળ કાળા અને ટૂંકા છે, ગુજરાતી ભાષા જાણે છે ધો.૧૦ સુધી અભ્યાસ કરેલ છે. આ અંગે કોઈને મળે તો જાણ કરવા વિનંતી છે. પોસ.ઇન એમ.બી સોલંકીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
