Gujarat

મંત્રીશ્રી ધ્રોલ ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા.૦૫ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે
છે. મંત્રીશ્રી તા.૦૫ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધ્રોલના રામરોટી આશ્રમ, ખારવા ચોક ખાતે
૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ તેઓશ્રી બપોરે ૦૩:૦૦ કલાકથી કલેકટર કચેરી ખાતે જી.એસ.આર.ડી.સી.એલ. ને સ્પર્શતા
પ્રશ્નોના નિવારણ અર્થે સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. બપોરે ૦૩:૩૦ કલાકથી મંત્રીશ્રી
ડી.આઇ.એલ.આર. અને મહેસૂલ વિભાગની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૪:૧૫ કલાકથી મંત્રીશ્રી કૃષિ
વિભાગ, પશુપાલન વિભાગ અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે તેઓ સમીક્ષા બેઠકનું
આયોજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *