બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે સ્વ.જનીનભાઈ શેઠ પરીવાર દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી કેમ્પ નુ આયોજન કરાયુ હતુ.જેમાં ૯૩ લોકોએ આંખ નું નિદાન કરાવી તેમાંથી ૨૩ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે મોતીયા ના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.આ કેમ્પ ને સફળ બનાવવા મુકુંદભાઈ વઢવાણા,ડો.સુમન પુજારા,રાજુભાઈ નારેચણીયા,શૈફુદીનભાઈ સહીતના એ જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


