ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા.૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી ૫ દિવસ બંધ રહેશે.
ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરશ્રીના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૧૧/૦૮/૨૦૨૩ સુધી એમ ૫ દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા જણાવ્યું છે.
