Maharashtra

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

મહારાષ્ટ્ર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે ફરી એકવાર અજિત પવારના જૂથ પર પ્રહારો કર્યા છે. પૂણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ગયા છે અને જેઓ કહી રહ્યા છે કે તેઓ રાજ્યના વિકાસ માટે ત્યાં ગયા છે તેઓ ખોટું બોલી રહ્યા છે. શરદ પવારનું આ નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ધૂંધળું ચિત્ર સાફ કરી રહ્યું છે. વાસ્તવમાં, શરદ પવાર અજિત પવારને સતત મળી રહ્યા હતા, આવી સ્થિતિમાં કોંગ્રેસ અને શિવસેના બંનેને શંકા હતી કે તેઓ પણ ભાજપ સાથે નહીં જાય. જાે કે પવાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારત સાથે જ રહેશે અને ભાજપમાં જાેડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી. હવે ફરી એકવાર અજિત પવાર અને ભાજપ પર જાહેરમાં પ્રહાર કરીને તેમણે મહાવિકાસ અઘાડી તેમજ ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ગઠબંધનના સાથી પક્ષોને રાહતની ક્ષણ આપી છે. પૂણેમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા પવારે કહ્યું કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા કાર્યવાહીનો ડર બતાવીને ઘણા લોકો ભાજપ સાથે જાેડાયેલા છે. પવારે પૂણેમાં કહ્યું કે તેઓ આવા લોકોને આજે નહીં તો કાલે ઘરે મોકલતા રહેશે. શરદ પવાર કહે છે કે જે લોકો ભાજપ સાથે ગયા છે તેઓ કહે છે કે તેઓ રાજ્ય માટે ગયા છે, જે ખોટું છે. આ દરમિયાન પવારે મહાવિકાસ અઘાડીમાં સામેલ અન્ય પક્ષોના નેતાઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સામનાના સંપાદક સંજય રાઉત જેલમાં ગયા, પરંતુ ભાજપ સાથે ન ગયા. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ ૧૪ મહિના જેલમાં રહ્યા, પરંતુ તેમ છતાં તેઓ ભાજપમાં જાેડાયા નથી. પૂણેમાં પવારે ખેડૂતોને લઈને પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે રાજ્યમાં ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ છે, જેના પર સરકાર ધ્યાન નથી આપી રહી.પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર ડુંગળી પર નિકાસ ડ્યુટી વધારવા જેવા ઘણા ખેડૂત વિરોધી ર્નિણયો લઈ રહી છે. પવારનું કહેવું છે કે આનાથી ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થશે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *