ભારત સરકારની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જામદુધઈ મુકામે રથનું આગમન થયું હતું અને જોડિયા તાલુકાની રથયાત્રાનું આજે સમાપન હતું.

જેમાં મહાનુભવોમાં કાલાવડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ચંદ્રિકાબેન

અઘેરા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી કિશોરભાઈ મઢવી, ભાજપના આગેવાન તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જેઠાલાલ

અઘેરા, તેમજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાદવજીભાઈ ગાંભવા, વિસ્તરણ અધિકારી શ્રી ગિરધરભાઈ ગઢીયા, વિસ્તરણ અધિકારી શ્રી મનીષભાઈ સોરઠીયા, વિસ્તરણ અધિકારી શ્રી ભાવેશભાઈ સોલંકી, તલાટી કમ મંત્રી શ્રી નિલેશભાઈ નાગપરા તલાટી, કમ મંત્રી શ્રી કુલદીપભાઈ કુંભારવાડીયા તથા ગામના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ રથ અંતર્ગત ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પીએમજેએ વાય ઉજ્વલા યોજના ખાતું એવી કામગીરી સ્થળ પર કરવામાં આવેલ હતી તેમજ

તબીબી ચેકઅપ, ટીબી ચેકઅપ તથા એલીડી સ્ક્રીન દ્વારા ભારત સરકારની વિવિધ યોજના માહિતી આપવામાં આવેલ હતી

આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન તાલુકા શાળા દુધઈ ના શિક્ષક શ્રી હર્ષદભાઈ કુબાવત તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું…….
રિપોર્ટર=શરદ એમ.રાવલ..
ગામ=હડીયાણા…..

