Gujarat

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે અમરેલીના નિલેશભાઈ દેસાઈ અને કિરણબેનના સુપુત્ર પરમનો જન્મદિવસ મનોરોગી બહેનો વચ્ચે ઉજવ્યો. 

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે અમરેલીના નિલેશભાઈ દેસાઈ અને કિરણબેનના સુપુત્ર પરમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કિશોરભાઈ  કિકાણી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને નિલેશભાઈ દેસાઈનો પરિવાર મનોરોગી બહેનો સાથે પરમનો જન્મદિવસ ઉજવી પોતાની સામાજિક ફરજ અદા કરી નિલેશભાઈ અને કિરણબેન દ્વારા પરિવાર સાથે માનવ મંદિરે જન્મદિવસ પ્રથમ વખત જ ઉજવવામાં આવેલા અને મનોરોગી ૬૨ જેટલી બહેનોને મિષ્ટ ભોજન કરાવવામાં આવેલ. તેમજ મનોરોગી બહેનોના જીવનમાં આનંદ અને ઉલ્લાસ આવે એ હેતુસર ભક્તિરામબાપુની આ સેવામાં સહયોગી બનવાનો પ્રયાસ કર્યો.. આમ દેસાઈ પરિવારે તેના સુપુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.

IMG-20240220-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *