Gujarat

એક પોલીસ અધિકારીએ ખરા અર્થમાં સામાજિક દાયિત્વની ભાવનાને પોષણ આપ્યું

ઉપરથી કડક લાગતાં એક અધિકારીનાં ઋજુ હ્રદયના દર્શન થયાં
સાવરકુંડલાના ડિવાઇએસ હરેશ વોરાના સ્વર્ગસ્થ પિતાશ્રી બાવનજીભાઈ વોરાની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા ખાતે બહેનોને આજે બપોરનું ભોજન કરાવ્યું અને જાતે જ  સ્વાદિષ્ટ ભોજન બહેનોને પીરસી એક પોલીસ અધિકારીએ ખરા અર્થમાં સામાજિક ફરજ પણ અદા કરી.. આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ પછી તે કોઈ પણ પદ પર હોય. તેની પણ એક વ્યક્તિગત જીંદગી હોય છે. સમાજ, કુટુંબ, પરંપરા જેવા અનેક બંધનોથી વ્યક્તિનું જીવન બંધાયેલું હોય છે. કારણ કે મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે એમ કહેવામાં આવે છે. અને એટલે જ ઘણીવાર પોતાની ફરજ સાથે પરિવાર, સમાજ અને પરંપરાને પણ સહર્ષ નિભાવવી પડતી હોય છે. અને ખરા અર્થમાં એ જ જીવન ઘટમાળનો એક અનોખી મજા છે. બસ આવી પ્રેરક ઘટનાઓ દ્વારા જ માનવ માનવથી સ્નેહના તાંતણે બંધાઈ છે અને આવી જ રીતે આ દેશનો ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે છે. જો કે સાવરકુંડલાના ડીવાયએસપીની વાત કરીએ તો ખૂબ જ સ્પષ્ટ વક્તા, નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. અને ઘણીવાર નાના બાળકો કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા પણ જોવા મળે છે.

IMG-20240220-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *