દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહ ફરી એકવાર પિતા બન્યા છે. બલકૌર સિંહની પત્ની ચરણકૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતાના નાના પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને પુત્રનું સ્વાગત કર્યું છે. બલકૌર સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તે પોતાના નાના પુત્રને ખોળામાં બેસાડેલો જાેવા મળે છે. આ ઉપરાંત મૂઝવાલાની એક તસવીર પણ તેની બાજુમાં રાખવામાં આવી છે.
તસવીર શેર કરતી વખતે, સિદ્ધુ મૂઝવાલાના પિતાએ કેપ્શનમાં લખ્યું, “શુભદીપ (સિદ્ધુ)ને પ્રેમ કરતા લાખો લોકોના આશીર્વાદ સાથે, ભગવાને અમને શુભનો નાનો ભાઈ આપ્યો. વાહેગુરુની કૃપાથી પરિવાર એકદમ ઠીક છે. પ્રેમ માટે તમામ શુભેચ્છકોનો આભાર.” આ તસવીરમાં સિદ્ધુનો ફોટો પાછળની બાજુએ મૂકવામાં આવ્યો છે. તેના પર લખવામાં આવ્યું છે કે, ‘લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી.’ જાેકે, સિદ્ધુના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ તેમના ઘરમાં ખુશીએ દસ્તક આપી છે. આ ખુશીના અવસર પર ઘણા ચાહકો સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
સિદ્ધુ મૂઝવાલા પંજાબી સંગીત ઉદ્યોગનો એક મોટો ચહેરો હતો. દેશભરમાં તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ હતી. ૨૯ મે ૨૦૨૨ના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે જવાબદારી લીધી હતી. તેને દુનિયાને અલવિદા કર્યાને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ તેના ચાહકો તેને ભૂલી શક્યા નથી. તે આજે પણ ઘણા ચાહકોના દિલમાં જીવંત છે.
તમને જણાવી દઈએ કે સિદ્ધુ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. જાેકે તે પણ હવે આ દુનિયામાં નથી. જે બાદ તેના માતા-પિતાએ ૈંફહ્લ ટેકનીક દ્વારા ફરીથી માતા-પિતા બનવાનું નક્કી કર્યું અને ૫૮ વર્ષની ઉંમરે ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો.

