Gujarat

સેનેગલની રાજધાનીમાં એરપોર્ટ પર બોઈંગ ૭૩૭ ક્રેશ, ૧૦ લોકો ઘાયલ

આફ્રિકા ના એક એરપોર્ટ પર એક હ્‌ર્દયદ્રાવક ઘટના બની હતી. તે ઉપરાંત આ ઘટનામાં મોત નિપજ્યા નો હવાલ નથી પરંતુ મુસાફરો ઘાયલ થયા છે. દેશના પરિવહન મંત્રીએ ગુરુવાઆ દુર્ઘટના બાબતે જણાવ્યું હતું કે, સેનેગલના મુખ્ય એરપોર્ટ પર ૮૫ લોકોને લઈ જતા સમયે રનવે પરથી સરકી ગયા જતાં આ દુર્ઘટના બની હતી અને વિમાનમાં આગ લાગી હતી, જેમાં પાઇલટ સહિત ૧૦ લોકો ઘાયલ થયા હતા.

સળગતા વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કેટલાકે “સંપૂર્ણ ગભરાટ” વર્ણવ્યું હતું કારણ કે તેઓ તેમના જીવનને બચાવવા માટે તમામ મહેનત કરી હતી. ટ્રાન્સએર દ્વારા સંચાલિત એર સેનેગલ ફ્‌લાઇટ બુધવારે મોડી રાત્રે ૭૯ મુસાફરો, બે પાઇલોટ અને ચાર કેબિન ક્રૂ સાથે પડોશી માલીમાં બામાકો તરફ જતી હતી, જ્યારે ડાકારથી લગભગ ૫૦ કિલોમીટર (૩૧ માઇલ) દૂર બ્લેઇઝ ડાયગ્ને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માત થયો હતો.

બોઇંગ ૭૩૭-૩૦૦ માં આગ લાગી અને રનવે પરથી સરકી જવાનું કારણ શું હતું તે તરત જ સ્પષ્ટ થયું ન હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યને આરામ કરવા માટે હોટલમાં લઈ જવામાં આવ્યા છે.