International

સિંગાપોરમાં કોરોના ના કેસ વધવાથી લોકોમાં ભયનો માહોલ

વિદેશમાં કોરોનાની રીએન્ટ્રી…

આરોગ્યમંત્રી ઓંગ યે કુંગે તમામ લોકોને માસ્ક પહેરવાની અને સાવચેત રહવાની સૂચના આપી

વિશ્વભરમાં કોરોનાના કેસ નહિવત નોંધાઈ રહ્યા છે, ત્યારે સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની પણ સૂચના આપી દેવાઈ છે. મળતા અહેવાલો મુજબ અધિકારીઓએ પાંચથી ૧૧ મેચ સુધીમાં ૨૫,૯૦૦ કેસ નોંધ્યા છે. અહીં દૈનિક ૧૮૧ કેસો સામે આવતા હતા, પરંતુ હવે તે વધીને ૨૫૦ પર પહોંચી ગયા છે.

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ૫ થી ૧૧ મે વચ્ચે કોવિડ-૧૯ કેસોની અંદાજિત સંખ્યા વધીને ૨૫,૯૦૦ થઈ ગઈ છે, જે અગાઉના સપ્તાહમાં ૧૩,૭૦૦ કેસની સરખામણીએ હતી.
સિંગાપોર કોરોના દર્દીઓની વધતી સંખ્યાથી ચોંકી ઉઠ્‌યું છે. કોવિડ-૧૯ની નવી લહેર અહીં જોવા મળી રહી છે. કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. ૫ થી ૧૧ મે વચ્ચે લગભગ ૨૬,૦૦૦ કેસ નોંધાયા હતા.

સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે માસ્ક પહેરવાની અને સાવચેત રહેવાની સલાહ આપી છે સાથેજ તેમણે કહ્યું હતું કે, જો કોરોનાના કેસોની સંખ્યા બમણી થશે તો સિંગાપોરની આરોગ્ય સિસ્ટમમાં ૫૦૦ દર્દીઓ નોંધાશે, જેને સિંગાપોર સંભાળી નહીં શકે. જો બીજી વખતમાં તેનાથી પણ વધુ કેસો નોંધાશે તો તેમાં દૈનિક ૧૦૦૦ કેસો સામે આવી શકે છે, જેના કારણે હોસ્પિટલની સિસ્ટમ ખોરવાઈ શકે છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં આરોગ્ય સેવા સિસ્ટમે સતર્ક રહેવાની સાથે તૈયાર રહેવું પડશે.

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બેડની ક્ષમતા બચાવવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. જાહેર હોસ્પિટલોને તેમના બિન-તાકીદના વૈકલ્પિક શસ્ત્રક્રિયાના કેસો ઘટાડવા અને યોગ્ય દર્દીઓને ટ્રાન્ઝિશનલ કેર સુવિધાઓમાં સ્થાનાંતરિત કરવા કહેવામાં આવ્યું છે. તેમજ ઘરમાં હળવી બીમાર વ્યક્તિની કાળજી લેવા જણાવ્યું હતું.