– ભારતના પગે પડી ગયું માલદીવ!!
માલદીવને ભારત સાથે સંબંધ ખરાબ કરવો ખુબ જ મોંઘો પડી રહ્યો છે. એટલેજ તો માલદીવ સરકારે માફી માંગી અને ભારતીયોને તેમના સ્થાનની મુલાકાત લેવા વિનંતી કરી હતી, જો કે માલદીવના એક મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે જો ભારત પોતાની નારાજગીનો અંત નહીં લાવે તો અમે બરબાદ થઈ જઈશું.
માલદીવના મંત્રીએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ માટે વિશેષ સેવાઓ શરૂ કરશે. માલદીવના આર્થિક વિકાસ અને વેપાર પ્રધાન મોહમ્મદ સઈદે કહ્યું, અમે અહીં ભારતની રૂપેય સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ સુવિધા શરૂ થયા બાદ માલદીવ આવતા ભારતીય પ્રવાસીઓ રૂપિયામાં ચૂકવણી કરી શકશે. જો કે, તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેના પર અંતિમ ર્નિણય લેવામાં આવી શકે તેમ છે.
રૂપેય ટ્ઠઅ સેવા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ રૂપેય સેવા શરૂ કરી છે. આ તેના પ્રકારનું પ્રથમ ભારતીય ઉત્પાદન છે, જે વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક સાથે જોડાયેલ છે. તે અત્યાર સુધી ઘણા દેશોમાં સ્વીકારવામાં આવ્યું છે. એટીએમ ઉપરાંત, રૂપેય કાર્ડનો ઉપયોગ પચપીઓએસ મશીનો અને ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ થઈ શકે છે.
માલદીવના મંત્રીએ કહ્યું કે આનાથી આપણી કરન્સી પણ મજબૂત થશે. વિશ્વભરમાં ડૉલરને લઈને વધતી જતી ચિંતાઓ વચ્ચે, ભારત જેવા દેશ સાથે સ્થાનિક ચલણમાં વેપાર આર્થિક મજબૂતી પ્રદાન કરશે. ઓગસ્ટ ૨૦૨૨માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલેહે કહ્યું હતું કે બંને દેશોના નેતાઓ માલદીવમાં રુપે કાર્ડની રજૂઆત પર ચર્ચા કરી રહ્યા હતા.
તેનાથી દ્વિપક્ષીય પર્યટન અને વેપાર વધારવામાં મદદ મળશે. માલદીવ્સનું કહેવું છે કે ભારત અને ચીન બંને પોતાની સ્થાનિક ચલણમાં તેની સાથે વેપાર કરવા સંમત થયા હતા. મતલબ કે આયાતની ચૂકવણી ડોલરને બદલે રૂપિયામાં કરી શકાય છે. આનાથી બંને દેશો વચ્ચેના ૧.૫ મિલિયન ડોલરના આયાત બિલ પર ૫૦ ટકા સુધીની બચત કરવામાં મદદ મળશે.
આનો અર્થ એ છે કે માલદીવ ભારત સાથે રૂપિયામાં વેપાર કરીને લગભગ ૭.૫ લાખ ડોલર બચાવી શકશે. ભારતે જુલાઈ ૨૦૨૩માં જ કહ્યું હતું કે આ ૨૨ દેશોમાં માલદીવ પણ સામેલ છે, જે અમારી સાથે સ્થાનિક ચલણમાં વેપાર કરવા ઈચ્છુક છે.

