બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ નારેચણીયા કુટુંબ ના કુળદેવ શ્રી હનુમાનજીદાદા ના મંદીરે ધજા આરોહણ પ્રસંગે સુંદર કાંડ ના પાઠ થતા હનુમાનજીદાદા ની 251 દીવાની વિશિષ્ટ શિવ શક્તિ આરતી યોજાઈ હતી.વીજાપુરવાળા મુકેશભાઈ અને તેમની મંડળી દ્રારા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં બપોરે 3 થી 5 સુંદર કાંડ ના પાઠ યોજાયા હતા તેમજ 251 દીવા ની ભવ્ય વિશિષ્ટ આરતી આજે સાંજે 5 વાગ્યે યોજાઈ હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ સમગ્ર આયોજન નારેચણીયા કુટુંબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


