ફિલ્મ નિર્માતા કરન જોહરે એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતના થપ્પડકાંડ પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન કરતા નથી. જોકે આ દરમિયાન તેમણે કંગનાનું નામ લીધું ન હતું.
ઘણીવાર નેપોટિઝ્મના મુદ્દે સામસામે રહે છે. કંગનાએ ઘણી વખત કરન ઉપર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ કરનને નેપો માફિયા નામ સાથે ટેગ પણ કર્યું છે.
મંડી સીટ પરથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગનાને 6 જૂને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. ખેડૂતોના આંદોલનમાં કંગનાના નિવેદનથી આરોપી મહિલા કોન્સ્ટેબલ ગુસ્સામાં હોવાનું બહાર આવ્યું છે.

કરને કહ્યું- હું હિંસાનો સમર્થક નથી
ફિલ્મ ‘કિલ’નું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ ગયા બુધવારે (13 જૂન) સાંજે મુંબઈમાં યોજાઈ હતી. આ ઈવેન્ટમાં ફિલ્મના કો-પ્રોડ્યુસર કરન જોહર પણ આવ્યા હતા. અહીં કંગનાને થપ્પડ મારવાની ઘટના પર કરનને પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્ન સાંભળીને કરન એક ક્ષણ માટે શાંત રહ્યો અને બોલ્યો – જુઓ, હું કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન નથી આપતો, પછી તે શાબ્દિક હોય કે શારીરિક.

