કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે મોદી સરકાર ૩.૦નું પહેલું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દ્ગડ્ઢછના સહયોગી ત્નડ્ઢેં અને ્ડ્ઢઁનું ખાસ ધ્યાન રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશ અને બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જ્યારે વિપક્ષ બિહાર અને આંધ્રપ્રદેશને મળેલા આ પેકેજ પર આરોપ લગાવી રહ્યો છે કે આ જાહેરાતો મોદી સરકારને બચાવવા માટે કરવામાં આવી છે, ત્યારે બિહારના સીએમ નીતિશ કુમાર અને ટીડીપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ બજેટ પર ખુશી વ્યક્ત કરી અને યોગ્ય પગલાં લેવાયા છે . આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બજેટે રાજ્યને ઓક્સિજન પુરો પાડ્યો છે જે વેન્ટિલેટર પર હતા. પરંતુ આ માત્ર શરૂઆત છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ ૨૦૨૪ માં બિહારને આપવામાં આવેલી ગિફ્ટ પર નીતિશ કુમારે શું કહ્યું? તેમણે કહ્યું કે અમે કેન્દ્ર પાસે સતત વિશેષ રાજ્યના દરજ્જાની માંગણી કરી રહ્યા છીએ. પરંતુ અમે એવી માંગણી પણ કરી હતી કે કાં તો અમને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અથવા અમને વિશેષ પેકેજ આપવામાં આવે. સરકાર દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતથી અમે ખુશ છીએ અને તે આવકારદાયક પગલું છે.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની કેન્દ્ર સરકારની માંગને ઠુકરાવીને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા . નીતિશ કુમારે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે વિશેષ દરજ્જા માટે સતત આંદોલન કરી રહ્યા હતા. જેઓ આજે કહી રહ્યા છે કે જ્યારે તેમની પાર્ટી કેન્દ્રમાં હતી ત્યારે તેઓએ શું કર્યું? નીતિશ કુમારે કહ્યું કે અમે જે માંગણીઓ કરી હતી તેમાંથી ઘણી વસ્તુઓની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો નિયમો હેઠળ વિશેષ રાજ્યનો દરજ્જો બંધ કરવામાં આવે તો સહાય અને વિકાસ માટે મદદ કરવી જોઈએ જે આપવામાં આવી રહી છે.
ટીડીપીના સાંસદે કહ્યું- મોદી અને નાયડુ ફેવિકોલની જોડી
કેન્દ્રીય મંત્રી અને ટીડીપી સાંસદ રામ મોહન નાયડુએ આ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજના બજેટથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી નાયડુની જોડી એટલે ફેવિકોલની જોડી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ બજેટમાં આંધ્રપ્રદેશની ઘણી અપેક્ષાઓ પૂરી કરી છે. એનડીએના મોટાભાગના ચૂંટણી વચનો ૬૦ દિવસમાં પૂરા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જગનના શાસન દરમિયાન આંધ્ર પ્રદેશ નિષ્ક્રિય રાજ્ય બની ગયું હતું આ બજેટમાં અમરાવતી માટે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એકંદરે અમે આંધ્ર માટે કરવામાં આવેલી જાહેરાતોથી ખુશ છીએ.
કેન્દ્રીય નાણામંત્રીએ બિહારના ‘ગયા’માં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. ‘પૂર્વોદય’ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપશે, એમ કહેવાય છે. વિષ્ણુપદ કોરિડોર અને મહાબોધિ કોરિડોરનો વિકાસ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર, બિહારના ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધગયાના મહાબોધિ મંદિરની તર્જ પર કરવામાં આવશે. આ ઉપરાંત હિંદુ, જૈન અને બૌદ્ધ લોકોના તીર્થસ્થળ રાજગીરને પણ વિશ્વ કક્ષાના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે અને નાલંદા યુનિવસિર્ટીને તેના ભવ્ય સ્વરૂપમાં પુનર્જીવિત કરવામાં આવશે.

