આઝાદીના ૭૮માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં ખુબજ ઉત્સાહભેર તિરંગા યાત્રા સહીત કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે જે અન્વયે માંગરોળમાં સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની ખાસ ઉપસ્થિતમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય વંદેમાતરમ ના ગગન ભેદી નારાઓ સાથે આ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઇ નવી જેટીએ રાષ્ટ્રીય ગાન સાથે પુર્ણ કરાતા તમામ લોકો દેશ ભક્તિ ના રંગમાં રંગાયા હતા.

આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ડે.કલેકટર ગરચર સાહેબ,
મામલતદાર પરમાર સાહેબ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, dysp ડી.વી.કોડીયાતર તેમજ જુનાગઢ માંગરોળ પોલીસ વિભાગ ના અધિકારીઓ,ખારવા સમાજ આગેવાન ધનસુખભાઈ ગોસીયા, વેલજીભાઈ મસાણી, ઘાંચી મુસ્લિમ સમાજ આગેવાન મોહમ્મદ હુસેન ઝાલા સહીત રાજકીય સામાજિક હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાઓના વિધાર્થીઓ,મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો અને પોલીસ જવાનોની હાજરીમાં વિશાલ તિરંગા યાત્રામાં વંદેમાતરમ ભારત માતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે યોજાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય બન્યુ હતું. યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવવા બદલ સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

