“કુદરતી ઉપચાર સર્વરોગ નિદાન કેમ્પ હડાળા ગામે યોજાઈ ગયો”
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ની પ્રેરણાથી અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગર ના આર્થિક સહયોગથી વીર જવાન ચેરીટેબલ ટ્રસ્ટ હડાળા તથા જ્યોતિ મહિલા વિકાસ સંગઠન હડાળા આયોજિત કુદરતી ઉપચાર સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ તેમાં રાજકોટ થી ડો.હિતેશભાઈ પરમાર તથા ડો.કૃતિબેન પરમાર તથા અમદાવાદ થી ડો.સાક્ષીબેન સિંગલા આ કેમ્પમાં વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા તથા વીર જવાન ચેરીટેબલ ટ્રસ્ટ હડાળા ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ દેવાણી તથા હડાળા ગામના સરપંચ શ્રી પુનાભાઈ પાઘડાળ ઉપસ્થિત રહ્યા હતા .આ કેમ્પમાં ૮૫ દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પ ને સફળ બનાવવા માટે આયોજકો તેમજ ગામના સ્થાનિક યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા





